બનાસકાંઠાઃલોકભાગીદારી થકી 87 તળાવનું નિર્માણ કરાયું
અટલ સમાચાર,ડેસ્ક
બનાસકાંઠા જિલ્લાનાં 45 ગામોમાં 87 તળાવો ઊંડા કરી નવું અભિયાન ઉપાડ્યું અને હજ્જારો લોકો તેમા જોડાયાં. વાત પ્રેરક અને રસપ્રદ છે. મિત્તલ પટેલ 2006નાં વર્ષથી ગુજરાતમાં વિચરતા-વિમુક્ત સમુદાયો સાથે તેમનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે કામ કરે છે.
છેવાડાનાં વિચરતા-વિમુક્ત સમુદાયોને મતદારકાર્ડ મળે અને એ દ્વારા તેમને સરકારની અન્ય યોજનાઓનો લાભ મળે એ માટે તેમણે સમગ્ર દેશમાં દાખલારૂપ કામ કર્યું છે. પણ મિત્તલબેનને પાણી બચાવવા અને બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં તળાવો ઊંડા કરવામાં રસ પડ્યો.
“વિચરતા-વિમુક્ત સમુદાયનાં લોકોને બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં મળવા જવાનું થાય ત્યારે એ ગામોમાં લોકોને પણ મળવાનું થતું. આ પ્રસંગે મેં પીવાનાં અને સિંચાઇનાં પાણીનાં સ્ત્રોતો વિશે પણ પુછ્યું. આ મુલાકાતોમાં તેમણે જાણ્યું કે, સિંચાઇની વ્યવસ્થા ન હોય તે વિસ્તારોમાં લોકો ભુગર્ભજળનો ઉપયોગ કરતા હતા, તળાવો મૃતપ્રાય પડ્યા હતા. દિવસે-દિવસે તળ ઊંડા ઉતરતા ગયા. જેથી મિત્તલબેનને આશ્ચર્ય લાગ્યું કે. લોકો તળાવો કેમ ગાળતા નથી. આ સવાલ જ્ઞાતિ-ધર્મથી પર સૌને સ્પર્શતો હતો અને મને લાગ્યું કે, આ કામ તાત્કાલિક કરવાની જરૂર છે અને એટલે 2015નાં વર્ષમાં આસોદર ગામથી આ કામ શરૂ કર્યું અને તેના પરિણામ સારા મળ્યાં.
બનાસકાંઠા જિલ્લાએ છેલ્લા ચાર વર્ષમાં જળવાયુ પરિવર્તનથી કેવી વિપરીત અસરો થાય છે તેનો જાત અનુભવ કર્યો. 2015માં બનાસકાંઠામાં પુર આવ્યું, 2016માં અછત આવી, ફરી 2017માં પુર આવ્યું અને 2018માં બનાસકાંઠામાં દુષ્કાળની સ્થિતિ આવી.
2017 અને 2018માં એમ બે વર્ષમાં વિચરતા-વિમુક્ત સમુદાય સમર્થન મંચ અને લોકભાગીદારી થકી 45 ગામોમાં 87 તળાવો ઉંડા કર્યા અને જુના પરંપરાને જીવતી કરી.
આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ડેવલપમેન્ટ ફોર વેલ્ફેર બોર્ડ ફોર ડી-નોટિફાઇડ, નોમેડિક એન્ડ સેમિ-નોમેડિક કોમ્યુનિટિઝની રચના કરવામાં આવી છે. આ બોર્ડનાં સભ્ય તરીકે મિત્તલ પટેલની નિમણુંક કરાઇ છે.