સુરતઃ લૂંટના ઇરાદે 40ના ટોળનો કંપનીના ગાર્ડ પર હુમલો, 3ના મોત

અટલ સમાચાર, ડેસ્ક ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની પી.જી.ગ્લાસ પ્રાઇવેટ લિ. નામની બંધ પડેલી કંપનીમાં 40 જેટલા લૂંટારા લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા. અને 6 જેટલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાં 3 સિક્યુરિટી ગાર્ડના મોત નીપજ્યા છે. ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની શ્રીજી ગ્લાસ કંપનીમાં મંગળવારે
 
સુરતઃ લૂંટના ઇરાદે 40ના ટોળનો કંપનીના ગાર્ડ પર હુમલો, 3ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની પી.જી.ગ્લાસ પ્રાઇવેટ લિ. નામની બંધ પડેલી કંપનીમાં 40 જેટલા લૂંટારા લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા. અને 6 જેટલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાં 3 સિક્યુરિટી ગાર્ડના મોત નીપજ્યા છે. ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની શ્રીજી ગ્લાસ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે 40 જેટલા લૂંટારૂઓ ધૂસી ગયા હતા. અને 6 જેટલા સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને માર માર્યો હતો. જેમાં બે સિક્યુરિટી ગાર્ડના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા 4 સિક્યુરિટી ગાર્ડ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુરતઃ લૂંટના ઇરાદે 40ના ટોળનો કંપનીના ગાર્ડ પર હુમલો, 3ના મોત
file photo

જ્યાં સારવાર દરમિયાન વધુ એક સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું હતું. 3 સિક્યુરિટી ગાર્ડ સારવાર હેઠળ છે, જે પૈકી 2 સિક્યુરિટી ગાર્ડની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

40 જેટલા લોકો લૂંટના ઇરાદે કંપનીમાં ઘૂસ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. જોકે પોલીસે આ મામલે કંપનીની આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી અને સારવાર લઇ રહેલા સિક્યુરિટી ગાર્ડના નિવેદન પણ લેવામાં આવશે.