દુર્ઘટનાઃ ગમખ્વાર અકસ્માતમાં બસ પલટી જતાં 7ના મોત, 32 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તર પ્રદેશના પીલીભીતમાં નેશનલ હાઇવે-30 પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દૂર્ઘટનામાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 32 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ઉત્તર પ્રદેશના પીલીભીતમાં નેશનલ હાઇવે-30 પર ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળ પર રહેલા લોકોના
 
દુર્ઘટનાઃ ગમખ્વાર અકસ્માતમાં બસ પલટી જતાં 7ના મોત, 32 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં નેશનલ હાઇવે-30 પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દૂર્ઘટનામાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 32 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ઉત્તર પ્રદેશના પીલીભીતમાં નેશનલ હાઇવે-30 પર ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળ પર રહેલા લોકોના જણાવ્યાં અનુસાર પિકઅપ વેનના ડ્રાઇવરને વહેલી સવારે ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પિકઅપ વેનના ડ્રાઇવરેને ઝોકુ આવતી જતા ચાલતી બસને ટક્કર મારી દીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેના કારણે બસ પલટી ગઇ. આ દૂર્ઘટનામાં બસમાં બેઠેલા 6 યાત્રીઓ અને પિકઅપમાં બેઠેલા 1 શખ્સનું મોત નિપજ્યું હતું. રિપોર્ટ મુજબ આ અકસ્માત આજે સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે થયો. જ્યારે લખનઉથી આવી રહેલી પીલીભીત ડેપોની બસને પિકઅપ ચાલકે જોરદાર ટક્કર મારી દીધી. ટક્કર મારી દેતા જ બસ પલટી ગઇ હતી.

આ દૂર્ઘટનામાં 7 યાત્રીઓના ઘટનાસ્થળે મોત થયા. જેમાં એક મહિલા સામેલ છે. જ્યારે અન્ય ઘાયલોમાં 8 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. ઇજાગ્રસ્તોને નજીકની જિલ્લી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.