અકસ્માત@દ્રારકા: કાર ઝાડ સાથે અથડાતાં લોકગાયકનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં મોત

અટલ સમાચાર, ડેસ્ક દ્રારકા-ખંભાળીયા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયકનું મોત થયુ છે. આજે સવારે કોઇ ગામેથી પ્રોગ્રામ પુર્ણ કરી કારની લઇને ઘરે જતાં દરમ્યાન તેમની કાર ઝાડ સાથે ટકરાઇ હતી. અકસ્માતમાં લોકગાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હોઇ તેમને 108માં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોચે તે પહેલાં જ તેમનું મોત
 
અકસ્માત@દ્રારકા: કાર ઝાડ સાથે અથડાતાં લોકગાયકનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

દ્રારકા-ખંભાળીયા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયકનું મોત થયુ છે. આજે સવારે કોઇ ગામેથી પ્રોગ્રામ પુર્ણ કરી કારની લઇને ઘરે જતાં દરમ્યાન તેમની કાર ઝાડ સાથે ટકરાઇ હતી. અકસ્માતમાં લોકગાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હોઇ તેમને 108માં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોચે તે પહેલાં જ તેમનું મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા ગાયક કલાકાર રમેશભાઇ નારણદાસ દૂધરેજિયા (ઉ.વ.42) ભાણવડ અને ધોરાજી ગામેથી પ્રોગ્રામ પૂરો કરી કાર લઇ પોતાના ગામ મીઠાપુર જતા હતા. આ દરમ્યાન વહેલી સવારે દ્વારકા-ખંભાળિયા હાઇવે ચરકલા રોડ પર પહોચતાં ત્યાં હાઇવે ટચ આવેલ એક વડલાના ઝાડ સાથે કાર જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર કીતે ઘાયલ રમેશભાઇ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ દ્વારકામાં 108 નંબર ફોન કરતાં એમ્બ્યુલન્સ તરત ઘટના સ્થળે પહોચી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રમેશ દૂધરેજીયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી 108ની એમ્બ્યુલન્સમાં પહેલાં સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે ગંભીર ઇજાઓ હોવાથી તેમને દ્રારકા સરકારી હોસ્પિટલ લઇ જવા કવાયત હાથ ધરાઇ હતી. આ તરફ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું રસ્તામાં મોત થતાં ચકચાર મચી ગઇ છે. અકસ્માતની જાણ થતાં દ્વારકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ શરૂ કરી છે.