અકસ્માત@હિંમતનગર: માર્ગ ઓળંગતાં આધેડને બાઇકે ટક્કર મારી, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર હિંમતનગરમાં બેફામ બાઇકની ટક્કરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગઇકાલે સાંજે માર્ગ ઓળંગી રહેલાં આધેડને એક બેફામ બાઇકે ટક્કર માર્યા બાદ ચાલક ફરાર થઇ ગયો હતો. જે બાદમાં આધેડને સારવાર અર્થે ખસેડ્યા બાદ ગંભીર પ્રકારની ઇજાઓ હોઇ સારવાર વચ્ચે તેમનું મોત થયુ હતુ. સમગ્ર મામલે
 
અકસ્માત@હિંમતનગર: માર્ગ ઓળંગતાં આધેડને બાઇકે ટક્કર મારી, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

હિંમતનગરમાં બેફામ બાઇકની ટક્કરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગઇકાલે સાંજે માર્ગ ઓળંગી રહેલાં આધેડને એક બેફામ બાઇકે ટક્કર માર્યા બાદ ચાલક ફરાર થઇ ગયો હતો. જે બાદમાં આધેડને સારવાર અર્થે ખસેડ્યા બાદ ગંભીર પ્રકારની ઇજાઓ હોઇ સારવાર વચ્ચે તેમનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પરિવારજને અજાણ્યાં ફરાર બાઇક ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના પીપલોદી બસ સટેન્ડ પાસે અકસ્માતની ઘટનામાં આધેડનું મોત થયુ છે. ગઇકાલે સાંજના સમયે ભિખુસિંહ રાઠોડ માર્ગ ઓળંગી રહ્યાં હોઇ અચાનક બેફામ બનેલાં બાઇકચાલકે તેમને ટક્કર મારી હતી. જોકે અકસ્માત સર્જને ચાલક ફરાર થઇ ગયા બાદ સ્થાનિકોએ તાત્કાલિક તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડ્યા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે હિંમતનગરની જ્યુપિટર હોસ્પિટલ ખસેડ્યા બાદ સારવાર વચ્ચે તેમનું મોત થયુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા જીલ્લામાં વધતાં જતાં માર્ગ અકસ્માતના બનાવોમાં આજે વધુ એક બનાવે આધેડનો જીવ લીધો છે. ગઇકાલે સાંજે રસ્તો ઓળંગી રહેલાં આધેડને બેફામ બાઇકચાલકે ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ તરફ સારવાર દરમ્યાન તેમનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે મૃતકના પરિવારજને અજાણ્યાં ફરાર બાઇક ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધાવતાં હિંમતનગર એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.