અકસ્માત@પોશીના: અજાણ્યાં વાહનની ટક્કરે રાહદારી આધેડનું મોત, ફરાર ચાલક સામે FIR
અટલ સમાચાર ડોટ કોમ, પોશીના
પોશીના તાલુકાના ગામ નજીક અજાણ્યાં વાહનની ટક્કરે આધેડનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે બપોરના સમયે બે ગામ વચ્ચે અજાણ્યાં વાહનચાલકે ચાલતાં જતાં રાહદારીને અડફેટે લીધા હતા. જેમાં આધેડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ તરફ મૃતકના સગાએ ફરાર અજાણ્યાં વાહનચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના કોલંદ ગામ નજીક અકસ્માતની ઘટનામાં આધેડનું મોત થયુ છે. પોશીનાના ચંન્દ્રાણા ગામે રહેતાં ઇધરાભાઇ ભીખાભાઇ ગમાર ગઇકાલે બપોરના સમયે ચાલતાં પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન અજાણ્યાં વાહને તેમને અડફેટે લેતાં તેઓ ફંગોળાયા હતા. જે બાદમાં અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇ નાસી છુટ્યો હતો. આ દરમ્યાન મૃતકના સગા ત્યાંથી પસાર થતાં હોઇ ભીડ જોઇ તપાસ કરતાં ઇજાગ્રસ્ત પોતાના પિતાના કાકા હોવાનું ખુલ્યુ હતુ. જેથી તાત્કાલિક ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડતાં તેમનું મોત થયુ હતુ.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા જીલ્લામાં વધતી-જતી અકસ્માતની ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. કોલંદ ગામ નજીક રોડની સાઇડમાં ચાલતાં આધેડને અજાણ્યાં વાહને અડફેટે લેતાં ગંભીર ઇજાઓને કારણે એમનું મોત થયુ છે. ગઇકાલે બપોરે બનેલી ઘટના બાદ ચાલક પોતાનું વાહન લઇ નાસી છુટ્યો હતો. સમગ્ર મામલે મૃતકના સગાએ અજાણ્યાં ફરાર વાહન ચાલક સામે પોશીના પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે અજાણ્યાં ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 194, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.