અકસ્માત@સતલાસણા: અજાણ્યાં વાહનની ટક્કરે બાઇકચાલકનું મોત, પરિવારજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા સતલાસણા પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં બાઇકચાલકનું મોત થતાં પરિજનો શોકમગ્ન બન્યા છે. ગત સાંજે ધામણી નદીના પુલ પર અજાણ્યાં વાહનચાલકે બાઇકસવારે અડફેટે લીધો હતો. જેમાં ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાની તાત્કાલિક સારવાર અર્થે 108માં હોસ્પિટલ લઇ જવાયો હતો. જોકે સિવિલના ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં સમગ્ર
 
અકસ્માત@સતલાસણા: અજાણ્યાં વાહનની ટક્કરે બાઇકચાલકનું મોત, પરિવારજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

સતલાસણા પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં બાઇકચાલકનું મોત થતાં પરિજનો શોકમગ્ન બન્યા છે. ગત સાંજે ધામણી નદીના પુલ પર અજાણ્યાં વાહનચાલકે બાઇકસવારે અડફેટે લીધો હતો. જેમાં ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાની તાત્કાલિક સારવાર અર્થે 108માં હોસ્પિટલ લઇ જવાયો હતો. જોકે સિવિલના ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં સમગ્ર મામલે મૃતકના ભાઇએ અજાણ્યાં વાહનચાલક સામે આઇપીસી અને મોટર વાહન અધિનિયમ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના આંબાઘાંટાના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત થયુ છે. ગત સાંજે સંજયભાઇ જોષી દુધની બરણી લઇ બાઇક પર ભાલુસણા જવા નિકળ્યાં હતા. આ તરફ મુમનવાસના ધામણી નદીના પુલથી સતલાસણા તરફના છેડે અજાણ્યાં વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. જેને લઇ સ્થાનિકોએ 108ને ફોન કરતાં યુવકને તાત્કાલિક સતલાસણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મુમનવાસ નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ તરફ અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. જેને લઇ મૃતકના ભાઇ અતુલકુમારે અજાણ્યાં વાહનચાલક સામે સતલાસણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.