અકસ્માત@શામળાજી: બાઇકસવાર યુવકનું કારની ટક્કરે મોત, ફરાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી શામળાજી નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં બાઇકસવારનું મોત થતાં પરીજનો શોકમગ્ન બન્યાં છે. મૂળ રાજસ્થાનનું દંપતિ મજૂરી અર્થે શામળાજીથી રતનપુર બાઇક પર આવ્યુ હતુ. જ્યાં પત્નિ ખરીદી કરી આગળ પહોંચતાં ભીડ જોઇ તપાસ કરતાં તેના જ પતિને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ હતુ. જેથી ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડતાં રસ્તામાં
 
અકસ્માત@શામળાજી: બાઇકસવાર યુવકનું કારની ટક્કરે મોત, ફરાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

શામળાજી નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં બાઇકસવારનું મોત થતાં પરીજનો શોકમગ્ન બન્યાં છે. મૂળ રાજસ્થાનનું દંપતિ મજૂરી અર્થે શામળાજીથી રતનપુર બાઇક પર આવ્યુ હતુ. જ્યાં પત્નિ ખરીદી કરી આગળ પહોંચતાં ભીડ જોઇ તપાસ કરતાં તેના જ પતિને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ હતુ. જેથી ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડતાં રસ્તામાં જ તેમનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર કારચાલક સામે શામળાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના શામળાજી નજીક અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયાની વિગતો સામે આવી છે. મૂળ રાજસ્થાનનું દંપતિ મજૂરી અર્થે આવ્યુ હતુ. અશોકભાઇ નંદલાલ ભગોરા તેમની પત્નિ કરીનાને બાઇક પર બજારમાં ઉતારી આગળ ગયા હતા. જ્યાં કારની ટક્કરે તેઓ નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદમાં તેમને પ્રાઇવેટ વાહનમાં પહેલાં સરકારી હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલ ખસેડતાં દરમ્યાન વચ્ચે જ તેમનું મોત થયુ હતુ.

અકસ્માત@શામળાજી: બાઇકસવાર યુવકનું કારની ટક્કરે મોત, ફરાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અરવલ્લી જીલ્લામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે બપોરના સમયે સર્જાયેલા અકસ્માતમાં બાઇકચાલકનું મોત થતાં પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. અકસ્માત સર્જીને ચાલક કાર સ્થળ પર જ મુકીને ફરાર થઇ ગયો હોઇ મૃતકના ભાઇએ ફરાર ચાલક સામે શામળાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે શામળાજી પોલીસે ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(B) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.