અકસ્માત@સુરેન્દ્રનગર: પૂર ઝડપે જતી કારે પલટી મારી, 1નું મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તેજ ગતિએ જતી એક કાર પલટી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે આ બનાવમાં ચાર લોકોને ઈજા પહોંચી છે. ધ્રાંગધ્રા માલવણ હાઇવે પરથી તેજ ગતિમાં જતી કાર અચાનક પલટી મારી ગઈ હતી. ડ્રાઇવરે કોઈ કારણને લીધે કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી. જે
 
અકસ્માત@સુરેન્દ્રનગર: પૂર ઝડપે જતી કારે પલટી મારી, 1નું મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તેજ ગતિએ જતી એક કાર પલટી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે આ બનાવમાં ચાર લોકોને ઈજા પહોંચી છે. ધ્રાંગધ્રા માલવણ હાઇવે પરથી તેજ ગતિમાં જતી કાર અચાનક પલટી મારી ગઈ હતી. ડ્રાઇવરે કોઈ કારણને લીધે કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી. જે બાદમાં કાર ફંગોળાઈને બાજુના ખેતરમાં પડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે કારમાં કચ્છનો પરિવાર સવાર હતો. અકસ્માત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતકને પોસ્ટ મોર્ટમ અને ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં કારની નંબર પ્લેટ તૂટીને નીચે પડી ગઈ હતી, તેમજ કારને ખૂબ જ નુકસાન થયું છે. નંબર પ્લેટ પ્રમાણે કાર મુંબઈમાં નોંધાયેલી છે. અકસ્માતને પગલે કારના બોનેટ અને પાછળના ભાગનો બુકડો બોલી ગયો હતો. આ દરમિયાન કારમાં રહેલો સામાન કેતરમાં વિખેરાયો હતો. માસ્ક અને થેલા સહિતની વસ્તુઓ વેર-વિખેર પડી હોવાનું જોવા મળી રહ્યું છે.