અકસ્માત@થરાદ: બેફામ સ્કોર્પિયોની ટક્કરે બાઇકસવાર યુવકનું મોત, ફરાર ચાલક વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ થરાદ-ધાનેરા રોડ પર બેફામ કારની ટક્કરે બાઇકસવાર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે આઠેક વાગ્યાના સુમારે થરાદ-ધાનેરા રોડ પરથી પસાર થતાં બાઇકચાલકને સામેથી આવતી બેફામ સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. જેમાં બાઇકચાલક યુવાન નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ તેનું કરૂણ
 
અકસ્માત@થરાદ: બેફામ સ્કોર્પિયોની ટક્કરે બાઇકસવાર યુવકનું મોત, ફરાર ચાલક વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ

થરાદ-ધાનેરા રોડ પર બેફામ કારની ટક્કરે બાઇકસવાર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે આઠેક વાગ્યાના સુમારે થરાદ-ધાનેરા રોડ પરથી પસાર થતાં બાઇકચાલકને સામેથી આવતી બેફામ સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. જેમાં બાઇકચાલક યુવાન નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત થયુ હતુ. આ તરફ સ્કોર્પિયોનો ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. સમગ્ર મામલે મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર કારચાલક વિરૂધ્ધ થરાદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના કરણપુરા ગામના યુવકનું અકસ્માતમાં મોત થયુ છે. કરણપુરાના વિનોદપુરી રાજપુરી ગૌસ્વામી પોતાનું બાઇક લઇ ઘરકામ અર્થે થરાદ જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન થરાદ-ધાનેરા રોડ પર રાયડા મીલ નજીક પુલ ઉપર બેફામ સ્પિડે આવતી સ્કોર્પિયોએ તેમને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઇજાઓને કારણે વિનોદપુરીનું ઘટનાસ્થળે જ મોત થતાં પરીજનો શોકમગ્ન બન્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રીના સમયે સ્કોર્પિયોની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત થયુ હતુ. સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ સ્કોર્પિયો સિલ્વર કલરની અને પાછળના ભાગે ક્રિષ્ન ભગવાનનો ફોટો હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ ચાલક અકસ્માત સર્જીને કાર લઇ નાસી છુટ્યો હોઇ મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે થરાદ પોલીસે ફરાર ચાલક વિરૂધ્ધ આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.