દુર્ઘટના@થરાદ: રાખડી બાંધવા જતાં નડ્યો અકસ્માત, મહિલાનું મોત, 2 ઘાયલ
અટલ સમાચાર,થરાદ
કોરોના મહામારી વચ્ચે આજે થરાદ-વાવ નર્મદા કેનાલ પાસે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા જતી વખતે અકસ્માતની ઘટના બની હતી. જેમાં રીક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં એક સ્ત્રીનું મોત થતાં પંથકમાં અરેરાટી મચી ગઇ છે. આ સાથે અન્ય લોકો ઇજાગ્રસ્ત થતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ખેડોલ ગામનો પરીવાર ઇઢાડા ગામે રક્ષાબંધન ઉજવવા જતી વખતે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદ-વાવની મુખ્ય કેનાલ પાસે રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના બે લોકો ઘાયલ અને એકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટછાટો વચ્ચે વાહનવ્યવહાર બેફામ બનતાં દરરોજ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હોય છે. આજે થરાદ-વાવ નર્મદા મુખ્યકેનાલ પાસેના માર્ગ અકસ્માતની ઘટનામાં 38 વર્ષીય જેવાબેન નાઈનું મોત થતાં પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ થરાદ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.