દુર્ઘટના@વિસનગર: રોડ ક્રોસ કરતાં આધેડને આઇસરે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, વિસનગર કોરોના મહામારી વચ્ચે આજે સવારે વિસનગર તાલુકાના ગામે એક આધેડને આઇસર ચાલકે અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયાનું સામે આવ્યુ છે. ગામના આધેડ વહેલી સવારે કુદરતી હાજતે જઇ રસ્તો ક્રોસ કરતાં હતા. આ દરમ્યાન મહેસાણા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા આઇસરે તેમને અડફેટે લેતાં તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ
 
દુર્ઘટના@વિસનગર: રોડ ક્રોસ કરતાં આધેડને આઇસરે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, વિસનગર

કોરોના મહામારી વચ્ચે આજે સવારે વિસનગર તાલુકાના ગામે એક આધેડને આઇસર ચાલકે અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયાનું સામે આવ્યુ છે. ગામના આધેડ વહેલી સવારે કુદરતી હાજતે જઇ રસ્તો ક્રોસ કરતાં હતા. આ દરમ્યાન મહેસાણા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા આઇસરે તેમને અડફેટે લેતાં તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ છે. આ તરફ મૃતકના પુત્રએ વિસનગર તાલુકા પોલીસ મથકે અજાણ્યા આઇસર ચાલક વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ઉદલપુર ગામે આજે માર્ગ અકસ્માતની ઘટનામાં આધેડ પુરૂષનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ઉદલપુરના ભગાભાઇ રાવળ આજે સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ કુદરતી હાજતે જઇ રોડ ક્રોસ કરતાં હતા. આ દરમ્યાન મહેસાણા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ આઇસરે તેમને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું મોત થયુ છે. આ તરફ મૃતકના દિકરાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઉદલપુર સરકારી દવાખાને પિતાને લઇ જતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. વિસનગર તાલુકાના ઉદલપુર ગામે કુદરતી હાજતે જઇ પરત ફરતાં આધેડને માર્ગ અકસ્માતની ઘટનામાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયુ છે. અકસ્માત બાદ આઇસર ચાલક ગાડી લઇ ફરાર થઇ જતાં મૃતકના પુત્ર કૃણાલભાઇએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. વિસનગર તાલુકા પોલીસે અજાણ્યા આઇસર ચાલક સામે આઇપીસીની કલમ 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.