ગમખ્વાર@અકસ્માતઃ કાર અને બાઇક વચ્ચે ટક્કર થતાં 4ના ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, ડેસ્ક જામનગર નજીક નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ મેઘપર પોલીસ અને 108ની ટીમ દોડી ગઇ હતી. ચારેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોમાં
 
ગમખ્વાર@અકસ્માતઃ કાર અને બાઇક વચ્ચે ટક્કર થતાં 4ના ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, ડેસ્ક

જામનગર નજીક નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ મેઘપર પોલીસ અને 108ની ટીમ દોડી ગઇ હતી. ચારેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોમાં કુલદીપ ગોરધન સોનરત (ઉ.વ.21), વિશ્વરાજસિંહ પ્રદીપસિંહ ઝાલા (ઉ.વ.14), સુખદેવસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.22) અને અન્ય એક યુવકનો સમાવેશ થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મૃતક ચારેય યુવાનો નવાગામમાં રહેતા હતા. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ હાથ ધરી છે. એક ગામના 4 યુવાનોના મોતથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. કાર સાથે બાઇક ધડાકાભેર અથડાતા બાઇકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આવી સનસની ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.