અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતના કોરોના દર્દીઓના 50% મોત થયા

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 774 પર પહોંચી ગયો છે. ત્યારે તેમાંથી 351 મોત માત્ર અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસ રોગીઓની સારવાર કરનારી અન્ય સરકારી હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ છે. અસારવા વિસ્તારમાં આવેલ આ મોટી સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી નગરનિગમની હોસ્પિટલમાં
 
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતના કોરોના દર્દીઓના 50% મોત થયા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 774 પર પહોંચી ગયો છે. ત્યારે તેમાંથી 351 મોત માત્ર અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસ રોગીઓની સારવાર કરનારી અન્ય સરકારી હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ છે. અસારવા વિસ્તારમાં આવેલ આ મોટી સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી નગરનિગમની હોસ્પિટલમાં સ્થાન મળ્યું છે. અહીં કોવિડ-19 રોગીઓની સારવાર માટે 1200 બેડ ફાળવવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મંગળવારે સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચ મૃત્યુ દર અને રિકવર રેટ ઓછો હોવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ આ મામલામાં નેશનલ માનવાધિકાર આયોગ (એનએચઆરસી)ને દખલ કરવાની માંગ કરે છે. દેશમાં હવે કોરોના દર્દીઓની સંખ્યા તેજીથી વધી રહી છે. તો ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 12910 પર પહોંચી ગયો છે. તેમાંથી 5488 દર્દીઓ હોસ્પિટલમાંથી રિકવર થઈને પરત ફર્યાં છે.

અમદાવાદ મહાનગરપાલિકા નિગમ તરફથી મળેલ આંકડા અનુસાર, બુધવાર સુધી અસારવાની સિવિલ હોસ્પિટલમાં 351 કોરોનાના દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. તો અહીંથી અનેક લોકો રિકવર થઈને પરત પણ ફર્યાં છે. આ ઉપરાંત એસવીપી હોસ્પિટલમાં પણ 120 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. અહીં 935 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 29 કોરોનાના દર્દીઓનો જીવ ગયો છે. તો અહીં ભરતી થયેલ 53 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે.