અમદાવાદ: ફાયર સેફ્ટીના સાધનો હોવાથી અગ્નિકાંડ થતા બચી ગયો

અટલ સમાચાર,અમદાવાદ સુરત અગ્નિકાંડના બનાવને લઇ તંત્ર ઘ્વારા ઠેર-ઠેર ફાયર સેફટીના સાધનોની તપાસ થઇ રહી છે. ત્યારે અમદાવાદની એક સ્કૂલમાં આગની બનાવ બન્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની મદદથી તરત આગને કાબૂમાં લઈ લેવાઈ હતી. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ઈશનપુર ઘોડાસર જતા માર્ગ પર ગુરુજી રેલવે ઓવરબિજના છેડે સેવન્થ ડે સ્કુલ આવેલી છે. ત્યારે સ્કૂલના ધાબા પર
 
અમદાવાદ: ફાયર સેફ્ટીના સાધનો હોવાથી અગ્નિકાંડ થતા બચી ગયો

અટલ સમાચાર,અમદાવાદ

સુરત અગ્નિકાંડના બનાવને લઇ તંત્ર ઘ્વારા ઠેર-ઠેર ફાયર સેફટીના સાધનોની તપાસ થઇ રહી છે. ત્યારે અમદાવાદની એક સ્કૂલમાં આગની બનાવ બન્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની મદદથી તરત આગને કાબૂમાં લઈ લેવાઈ હતી. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ઈશનપુર ઘોડાસર જતા માર્ગ પર ગુરુજી રેલવે ઓવરબિજના છેડે સેવન્થ ડે સ્કુલ આવેલી છે. ત્યારે સ્કૂલના ધાબા પર શેડ દૂર કરતા સ્પાર્ક થતા આગ લાગી હતી.

સેવન્થ ડે સ્કુલના ધાબા પર લગાવેલ શેડને દૂર કરતા સમયે વેલ્ડિંગ વખતે સ્પાર્ક થતા ભડકો થતા આગ લાગી હતી. જોકે, ફાયર સેફટીના સાધનોથી ધાબા પરની આગને તરત કાબૂમાં લેવાઈ ગઈ હતી. આ આગને બૂઝવવામાં ફાયર વિભાગની પણ મદદ લેવાઈ હતી.

જોકે સવારે સાત કલાક પહેલા લાગેલ આગ સમયે શાળા સકુંલમા વિદ્યાર્થીઓની હાજરી ન હોવાને કારણે મોટી રાહત થઈ હતી. પણ, સ્કૂલ કે કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનો કેટલા જરૂરી છે, તે આ ઘટનાથી જાણવા મળે છે. જો સુરતની ઘટનામાં પણ ફાયર સેફ્ટીના સાધનો હોત તો સુરતના વિદ્યાર્થીઓનો જીવ પણ બચી જ જાત.