અમદાવાદઃ પહેલા જાતે સળગી અને બાદમાં વૃધ્ધે પાંચમા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સમર્પણ ટાવર આવેલો છે. આ ટાવરના પાંચમા માળે જયપ્રકાશ નામના શખ્સ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની અને સંતાનમાં બે દીકરીઓ છે. બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તો બીજી તરફ, જયપ્રકાશ પણ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. ત્યારે આજે મળસ્કે જ્યારે સોસાયટીના સદસ્યો ભર ઊંઘમાં હતા,
 
અમદાવાદઃ પહેલા જાતે સળગી અને બાદમાં વૃધ્ધે પાંચમા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સમર્પણ ટાવર આવેલો છે. આ ટાવરના પાંચમા માળે જયપ્રકાશ નામના શખ્સ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની અને સંતાનમાં બે દીકરીઓ છે. બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તો બીજી તરફ, જયપ્રકાશ પણ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. ત્યારે આજે મળસ્કે જ્યારે સોસાયટીના સદસ્યો ભર ઊંઘમાં હતા, ત્યાં તેમણે આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. પહેલા તો તેમણે પોતાની જાતને સળગાવી હતી. સળગેલી હાલતમાં બાદમાં તેઓએ પાંચમા માળે પોતાના મકાનથી નીચે કૂદકો માર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જયપ્રકાશે કરેલી આત્મહત્યાના દ્રશ્યો ટાવરમાં લગાવાયેલા સીસીટીવીમાં કેદ થયા છે. તો તેમના આ પગલાથી રહેવાસીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જયપ્રકાશના આત્મહત્યા બાદ લોકો દોડી આવ્યા હતા. લોકોએ તેમના શરીર પર પાણી નાંખીને આગ બૂઝવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી છે. જોકે, કયા કારણોસર જયપ્રકાશે પાંચમા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે હજી જાણી શકાયુ નથી. હાલ ઘાટલોડિયા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.