અમદાવાદ: PM મોદીના ભાઇ પ્રહલાદભાઇના પત્નીનું 55 વર્ષની વયે નિધન

અટલ સમાચાર,અમદાવાદ ગુજરાતના સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઇ પ્રહલાદભાઇ મોદીના પત્નીનું સારવાર દરમિયાન 55 વર્ષની વયે નિધન થયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 55 વર્ષીય ભગવતીબેન મોદી બીપી, કિડની, ડાયાબેટિસ, પેરાલિસિસના રોગથી પીડિતા હતા. જેમની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યાં આજે બુધવારે તેમનું નિધન થયું હતું. સુત્રોના જણાવ્યા
 
અમદાવાદ: PM મોદીના ભાઇ પ્રહલાદભાઇના પત્નીનું 55 વર્ષની વયે નિધન

અટલ સમાચાર,અમદાવાદ

ગુજરાતના સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઇ પ્રહલાદભાઇ મોદીના પત્નીનું સારવાર દરમિયાન 55 વર્ષની વયે નિધન થયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે 55 વર્ષીય ભગવતીબેન મોદી બીપી, કિડની, ડાયાબેટિસ, પેરાલિસિસના રોગથી પીડિતા હતા. જેમની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યાં આજે બુધવારે તેમનું નિધન થયું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભગવતીબેનનું ડાયાબિટિસ વધતા તેમની તબિયત લથડી હતી અને જેના પગલે તેમને આજે બુધવારે સવારે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સવારના 11 વાગ્યાના અસરામાં નિધન થયું હતું. પ્રહલાદભાઇ મોદીના પત્નીનું નિધન થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. સિવિલ હોસ્પિટલમાંથી ભગવતીબેનના પાર્થિવ દેહને સેટેલાઇટ નિવાસ સ્થાને લઇ જવામાં આવ્યો છે. અને સાંજે પાંચ વાગ્યે એસજી હાઇવે ઉપર આવેલા થલતેજ સ્મસાન ગૃહમાં વિધિવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.