અંબાજીઃ નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકરો દ્વારા હોસ્પિટલમાં ફળોનું વિતરણ કરાયું

અટલ સમાચાર, અંબાજી(અરવિંદ અગ્રવાલ) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદાર દાસ મોદીનો આજે 70મો જન્મદિવસ છે. સમગ્ર દેશમાં આજે પીએમ મોદીના જન્મદિવસ પર જુદા-જુદા કાર્યક્રમોના આયોજનો કરવામાં આવી રહ્યાં છે. BJP પીએમ મોદીના જન્મદિવસને સેવા સપ્તાહ તરીકે ઉજવી રહી છે. ભાજપ કાર્યકર્તા દેશના તમામ જિલ્લામાં પોતાના નેતાના જન્મદિવસને ઉજવી રહ્યાં છે. દેશ જ નહીં દુનિયાથી પણ પીએમ
 
અંબાજીઃ નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકરો દ્વારા હોસ્પિટલમાં ફળોનું વિતરણ કરાયું

અટલ સમાચાર, અંબાજી(અરવિંદ અગ્રવાલ)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદાર દાસ મોદીનો આજે 70મો જન્મદિવસ છે. સમગ્ર દેશમાં આજે પીએમ મોદીના જન્મદિવસ પર જુદા-જુદા કાર્યક્રમોના આયોજનો કરવામાં આવી રહ્યાં છે. BJP પીએમ મોદીના જન્મદિવસને સેવા સપ્તાહ તરીકે ઉજવી રહી છે. ભાજપ કાર્યકર્તા દેશના તમામ જિલ્લામાં પોતાના નેતાના જન્મદિવસને ઉજવી રહ્યાં છે. દેશ જ નહીં દુનિયાથી પણ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 70માં જન્મ દિવસની અંબાજી શહેર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ફળોનું અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

અંબાજીઃ નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકરો દ્વારા હોસ્પિટલમાં ફળોનું વિતરણ કરાયું

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળની કીટ અને બિસ્કીટ અંબાજી ભાજપ તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકરો દ્વારા આપીને સાદગીથી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંબાજી ભાજપના કાર્યકરો અને નરેન્દ્ર મોદી વિચાર મંચ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.