અંબાજી: રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર પરીવાર સાથે માં અંબાના શરણે

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા) ગુજરાત રાજ્ય સભાના નવા ચૂંટાયેલા સાંસદ જુગલજી ઠાકોર રવિવારે પોતાના પરીવાર અને મિત્રો સાથે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે માં અંબાના નીજ મંદિરમાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જ્યાં પુજારીએ માથે પાવડી મુકી તેમજ ચુંદડી ઓઢાડી આશીર્વાદ પ્રદાન કર્યા હતા. ત્યારબાદ જુગલજી ઠાકોરે માતાજીની ગાદી ઉપર
 
અંબાજી: રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર પરીવાર સાથે માં અંબાના શરણે

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા)

ગુજરાત રાજ્ય સભાના નવા ચૂંટાયેલા સાંસદ જુગલજી ઠાકોર રવિવારે પોતાના પરીવાર અને મિત્રો સાથે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે માં અંબાના નીજ મંદિરમાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જ્યાં પુજારીએ માથે પાવડી મુકી તેમજ ચુંદડી ઓઢાડી આશીર્વાદ પ્રદાન કર્યા હતા. ત્યારબાદ જુગલજી ઠાકોરે માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઇ રક્ષા પોટલી બંધાવી હતી. જોકે રાજ સભાના સાંસદ બન્યા બાદ જુગલજી ઠાકોરે સૌ પ્રથમ વખત આજે અંબાજીમા માં અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા.

અંબાજી: રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર પરીવાર સાથે માં અંબાના શરણે

જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ સાંસદ બન્યા બાદ સૌપ્રથમ અંબાજીના પાણીનો વિકટ પ્રશ્ન હાલ થાય અને ઘેર ઘેર પાણી પહોંચે તેવા પ્રયાસો સાથે તેઓએ અંબાજીને રેલવે લાઇન સાથે જોડવાનું પ્લાનિંગ પણ હાથ ધરાયું હોવાનું જણાવ્યું હતું. સાથે તેમણે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના કોઈ ચાર જિલ્લામાંથી એક જિલ્લામાં પસંદ કરીને અંબાજીને હવાઇ માર્ગ સાથે જોડવાની પણ તેમને વાત કરી હતી.

વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, અંબાજીના કોઈ નજીક સ્થળે ડોમેસ્ટિક અથવા ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તેવી પણ જોગવાઈ હાલમાં ચાલી રહી છે. આ સાથે તેમને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે કેમ તેવા પ્રશ્નના તે તેમને જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર ઈચ્છા ધરાવતા હોય તો અમારા દરવાજા સદાય માટે ખુલ્લા છે એટલું જ અમારી રીતી અને નીતિને સ્વીકારવા તૈયાર હોય તો અમે પણ તેમને સ્વીકારવા તૈયાર છીએ. અંબાજી પહોંચાલં જુગલજી ઠાકોર નું અંબાજી સહીત દાંતા નાં વિવિધ ઠાકોર સમાજ નાં સંગઠનો દ્વારા સાફો પહેરાવી સાલઓઢાડી અને તલવાર ભેટ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ.