ચિંતા@બનાસકાંઠા: આજે નવા 15 દર્દી ઉમેરાયાં, સંક્રમણની ચેન તોડવા દોડધામ
અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જીલ્લામાં આજે નવા 15 દર્દી ઉમેરાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. અનલોક 5માં મળેલી છૂટછાટો વચ્ચે કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ
Oct 20, 2020, 18:43 IST
અટલ સમાચાર, પાલનપુર
બનાસકાંઠા જીલ્લામાં આજે નવા 15 દર્દી ઉમેરાતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. અનલોક 5માં મળેલી છૂટછાટો વચ્ચે કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 15 કેસ નોંધાયા છે. જેમાં ડીસામાં 9, ધાનેરામાં 2, પાલનપુરમાં 3 અને થરાદમાં 1 મળી નવા 15 કેસ સામે આવ્યા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે.