ચિંતા@પાટણ: આજે જીલ્લામાં નવા 27 દર્દી ઉમરાયાં, કોરોના સંક્રમણ કાબૂ બહાર
અટલ સમાચાર,પાટણ
કોરોના મહામારી વચ્ચે આજે પાટણ જીલ્લામાં નવા 27 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. અનલોક-5 માં મળેલી છૂટછાટો વચ્ચે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ હોઇ લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા તથા સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત શરૂ કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 27 દર્દીઓ ઉમેરાયા છે. આજે પાટણ શહેરમાં 11, તાલુકાના બાલીસણા, કમલીવાડા અને ડાભડીમાં 1-1 અને હાંસાપુરમાં 2 કેસ, ચાણસ્મા શહેરમાં 2, તાલુકાના ધિણોજમાં 1 અને ગંગેટમાં 2 કેસ, રાધનપુર શહેરમાં 3, હારીજ તાલુકાના વાઘેલમાં 1, સાંતલપુર તાલુકાના વારાહીમાં 1 અને સિધ્ધપુર શહેરમાં 1 મળી નવા 27 કેસ નોંધાયા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરી છે.