ચિંતા@પાટણ: સતત વધી રહ્યુ છે સંક્રમણ, આજે એકસાથે નવા 27 દર્દી ઉમેરાયાં
અટલ સમાચાર, પાટણ
પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ ફેલાઇ રહ્યુ હોઇ દરરોજ નવા દર્દીઓનો ઉમેરો થતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ તરફ આજે જીલ્લામાં નવા 27 દર્દી ઉમેરાતાં તમામ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો ચિંતામાં મુકાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત હાથ ધરાઇ છે. આ તરફ આજે સુજનીપુર સબજેલમાં પણ કોરોનાના 3 કેસ આવતાં જેલતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. આજે નવા 27 દર્દી ઉમેરાતાં જીલ્લાનો કુલ આંકડો 1754 પહોંચ્યો છે. કોરોના મહામારીમાં અનલોકમાં મળેલી છૂટને કારણે આવન-જાવન બેફામ બનતાં, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહિ પહેરવાને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા કેસો બાબતે સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન સહિતની કવાયત હાથ ધરી છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે પાટણ શહેરમાં નવા 6, પાટણ તાલુકાના માનપુર, કુણઘેર અને કણીમાં 1-1 તો સુજનીપુર સબજેલમાં 3 કેસ સામે આવ્યા છે. આ તરફ ચાણસ્મા શહેરમાં 1 અને ચાણસ્મા તાલુકાના વસઇ-પલાસરમાં 1-1 અને બ્રાહ્મણવાડામાં 2 કેસ સામે આવ્યા છે. સિધ્ધપુર શહેરમાં 1 અને સિધ્ધપુર તાલુકાના ડીંડરોલ અને મામવાડામાં 1-1 કેસ નોંધાયો છે. આ તરફ હારીજ શહેરમાં 1 અને હારીજ તાલુકાના બોરતવાડામાં 2, શંખેશ્વરના પંચાસરમાં 1, સમીના બાસ્પામાં 1, રાધનપુર શહેરમાં 1 અને સરસ્વતી તાલુકાના વોળાવીમાં 1 કેસ મળી નવા 27 કેસ સામે આવ્યા છે.