ચિંતા@સુરેન્દ્રનગર: સ્વૈચ્છિક લોકડાઉન છતાં લોકો બિનજરૂરી રસ્તા પર જોવા મળ્યાં

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે આજે સુરેન્દ્રનગરની બજારોમાં લોકો બિનજરૂરી રસ્તા પર જોવા મળ્યાં હતા. એક સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના પગલે ટપોટપ દર્દીઓના મોત થઇ રહ્યા છે તો બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની બજારો લોકોથી ઉભરાઇ રહી છે. બજારમાં કોરોના સંક્રમણ અટકાવવાના
 
ચિંતા@સુરેન્દ્રનગર: સ્વૈચ્છિક લોકડાઉન છતાં લોકો બિનજરૂરી રસ્તા પર જોવા મળ્યાં

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે આજે સુરેન્દ્રનગરની બજારોમાં લોકો બિનજરૂરી રસ્તા પર જોવા મળ્યાં હતા. એક સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના પગલે ટપોટપ દર્દીઓના મોત થઇ રહ્યા છે તો બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની બજારો લોકોથી ઉભરાઇ રહી છે. બજારમાં કોરોના સંક્રમણ અટકાવવાના ફક્ત સલાહ સુચના આપવામાં આવી રહ્યા છે કોઈ પણ જાતની અમલગીરી બજારોમાં દેખાઈ રહી નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ નગરપાલિકાના પ્રમુખ તથા વેપારી એસોસીએશન બેઠક યોજી અને પાંચ દિવસનું લોકડાઉન લોકડાઉન સુરેન્દ્રનગરમાં આપવામાં આવ્યું છે. જોકે તેનો કડક અમલ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લાની જનતા ત્યાં સુધી જાગૃત નહીં બને ત્યાં સુધી કોરોના સંક્રમણ અટકશે નહીં. લોકો જાહેર રસ્તાઓ ઉપર બિનજરૂરી રખડતા નજરે પડ્યા છે.