આવેદનપત્ર@વાવ: કેનાલમાં ગાબડાંથી થયેલ નુકશાનના વળતરની માંગ
અટલ સમાચાર,વાવ બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં દર બીજા દિવસે ગાબડાં પડવાના વિગતો સામે આવતી હોય છે. જેને લઇ વાવ પંથકના ખેડૂતોએ ભારે આક્રોશ સાથે મામલતદારને આવેદનપત્ર આપી નુકશાનીના વળતરની માંગ કરી છે. વાવ પંથકના ખેડૂતોને કેનાલમાં પડતાં ગાબડાંઓના કારણે મોટુ નુકશાન ગયુ હોવાનુ માની વળતર માટે માંગ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર
Feb 25, 2020, 15:49 IST
અટલ સમાચાર,વાવ
બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં દર બીજા દિવસે ગાબડાં પડવાના વિગતો સામે આવતી હોય છે. જેને લઇ વાવ પંથકના ખેડૂતોએ ભારે આક્રોશ સાથે મામલતદારને આવેદનપત્ર આપી નુકશાનીના વળતરની માંગ કરી છે. વાવ પંથકના ખેડૂતોને કેનાલમાં પડતાં ગાબડાંઓના કારણે મોટુ નુકશાન ગયુ હોવાનુ માની વળતર માટે માંગ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરી ઉમટી પડ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાની વાવ મામલતદાર કચેરી આજે અચાનક મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. કેનાલોમાં વારંવાર પડતાં ગાબડાંને કારણે ખેડૂતોને નુકશાન થતુ હોય છે. જેને લઇ પંથકના ખેડૂતોએ આજે મામલતદારને આવેદનપત્ર આપી રવી સીઝનમાં કેનાલો તુટતાં અને પાણીમાં પાક ધોવાણ સહિતના નુકશાન માટે વળતરની માંગ કરી છે.