નિયુક્તિ@ગુજરાત: લોકાયુક્ત તરીકે નિવૃત ન્યાયાધિશ રાજેશ શુક્લાના શપથ

અટલ સમાચાર, ગાંધીનગર કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાત લોકાયુક્ત પદ પર નિવૃત્ત જસ્ટિસ રાજેશ શુક્લાએ શપથ લીધા હતા. છેલ્લા બે વર્ષથી ખાલી પડી રહેલ ગુજરાત લોકયુક્તના પદે રાજેશ શુક્લાએની નિયુક્તિ રાજ્ય સરકારે કરી છે. જેને લઇ આજે રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ વિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશીયલ ડિસ્ટેન્સિંગના અનુપાલન સાથે સંપન્ન થયો
 
નિયુક્તિ@ગુજરાત: લોકાયુક્ત તરીકે નિવૃત ન્યાયાધિશ રાજેશ શુક્લાના શપથ

અટલ સમાચાર, ગાંધીનગર

કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાત લોકાયુક્ત પદ પર નિવૃત્ત જસ્ટિસ રાજેશ શુક્લાએ શપથ લીધા હતા. છેલ્લા બે વર્ષથી ખાલી પડી રહેલ ગુજરાત લોકયુક્તના પદે રાજેશ શુક્લાએની નિયુક્તિ રાજ્ય સરકારે કરી છે. જેને લઇ આજે રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ વિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશીયલ ડિસ્ટેન્સિંગના અનુપાલન સાથે સંપન્ન થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે ગુજરાત લોકયુક્તના પદે નિવૃત્ત રાજેશ શુક્લાએ શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત જસ્ટિસ રાજેશ એચ શુક્લાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્ય વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. શપથ વિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશીયલ ડિસ્ટેન્સિંગના અનુપાલન સાથે સંપન્ન થયો હતો.