વિધાનસભા: અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ માટે 10 નવા સરકારી છાત્રાલયોની ભેટ

અટલ સમાચાર, ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું છે કે, સરકાર ગરીબો, શોષિતો, પીડીતો અને વંચિતોનાં આર્થિક સામાજિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અને અમારી સરકારે તેઓનાં સર્વાંગી વિકાસ માટે દ્રઢ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન પણ કર્યું છે. વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની રૂ.૮૩૪૨ કરોડની અંદાજપત્રીય
 
વિધાનસભા: અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ માટે 10 નવા સરકારી છાત્રાલયોની ભેટ

અટલ સમાચાર, ગાંધીનગર

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું છે કે, સરકાર ગરીબો, શોષિતો, પીડીતો અને વંચિતોનાં આર્થિક સામાજિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અને અમારી સરકારે તેઓનાં સર્વાંગી વિકાસ માટે દ્રઢ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન પણ કર્યું છે. વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની રૂ.૮૩૪૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતાં મંત્રી ઇશ્વરભાઇ પરમારે ઉમેર્યુ હતું કે આ વખતનાં બજેટમાં આ વર્ગોનાં વિકાસ માટે ગત વર્ષ કરતાં ૮૮૩ કરોડની રકમ વધુ ફાળવી છે.

પાટણ, મહીસાગર તથા બોટાદ ખાતે અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલયો અને પાટણ,ગાંધીનગર, પોરબંદર વઢવાણ તથા બોટાદ ખાતે કન્‍યા છાત્રાલયો માટે અધતન સુવિધા સાથેના મકાન બાંધવામાં આવશે. જેના માટે પ્રથમ તબકકે બજેટમાં રૂ.૧૮ કરોડ ૨૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર, બારડોલી, અને મોડાસા ખાતે સમરસ કુમાર-કન્યા છાત્રાલયના બાંધકામ માટે રૂ.૮ કરોડ ૭૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

પાલનપુર જી.બનાસકાંઠા ખાતે ચાલતી આદર્શ નિવાસી શાળા માટેરૂ.૬ કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેના મકાન બાંધવામાં આવશે જેના માટે પ્રથમ તબકકે બજેટમાં રૂ.૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અરવલ્‍લી, મહીસાગર, સુરત, વડોદરા અને મોરબી ખાતે જિલ્‍લા કક્ષાનું ર્ડા.આંબેડકર ભવન બાંધવામાં આવશે જેના માટે બજેટમાં રૂ.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

વિધાનસભા: અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ માટે 10 નવા સરકારી છાત્રાલયોની ભેટ

રાજ્યમાં અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી વિમુક્ત જાતિ તેમજ લઘુમતી અને બિન અનામત વર્ગોની ૮૦ ટકાથી વધુ વસ્તી વસવાટ કરે છે ત્યારે તેઓની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવી એ અમારી નૈતિક ફરજ છે. મંત્રી પરમારે ઉમેર્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા આ વર્ષનાં અંદાજપત્રમાં અનુસૂચિત જાતિ કલ્યાણ માટે રૂ.૧૧૪૭.૨૫ કરોડ સહીત અનુસૂચિત જાતિ પેટા યોજના માટે રૂ.૫૨૭૭ કરોડ, સમાજ સુરક્ષા માટે રૂ.૧૧૪૧.૯૦ કરોડ, આર્થિક પછાત વર્ગ, લઘુમતી, વિચરતી વિમુક્ત જાતિઓ સહીત બક્ષીપંચ જાતિનાં કલ્યાણ માટે રૂ.૧૯૦૪.૯૭ કરોડ ફાળવ્યા છે.

સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ/વિકસતી જાતિ/દિવ્‍યાંગો/ નિરાધાર મહિલાઓ/ વૃદ્ધો/ ગરીબો વગેરેના સર્વાંગી વિકાસ માટે વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ રૂ.૩,૬૪૦ કરોડ ૫૭ લાખની જોગવાઇ સામે આ વર્ષે રૂ.૪,૨૧૧ કરોડ ૬૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. સમાજનાં અદના આદમીનાં ઉત્થાનની પ્રાથમિક્તા સાથે અમારી સરકાર દિવસ રાત કાર્યરત છે. સામાજિક સમરસતા સાથે સામાજિક ન્‍યાયનું સમગ્ર દેશમાં કોઇ શ્રેષ્‍ઠ ઉદાહરણ હોય તો ગુજરાતમાં ૯ સ્‍થળોએ બનેલાં ૧૮ સમરસ છાત્રાલયો છે. કુમાર અને કન્‍યાઓ મળી ૧૨,૫૦૦ વિધાર્થીઓ માટે અદ્યતન સુવિધાવાળા છાત્રાલયો બનાવ્‍યાં છે. આ ૧૨,૫૦૦ છાત્રોમાં ૧૫% અનુ.જાતિના, ૩૦% અનુ.જનજાતિનાં, ૪૫% બક્ષી પંચ જાતિના અને ૧૦% આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તેમ પરમારે જણાવ્યુ હતુ.