બહુચરાજીઃ ઉમિયા માતાજીના મંદિર 22માં પાટોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા

અટલ સમાચાર, બહુચરાજી (ભૂરાજી ઠાકોર) બહુચરાજીમાં ઉમિયા માતાજી પથિકાશ્રમમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરના 22માં પાટોત્સવ પ્રસંગે રવિવારે મૈયાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે ઉમિયા વાડી નીકળી મુખ્ય બજાર થઈ બેચર પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું કરાયું હતું. જ્યારે માઈમંદિરો નૂતન ધ્વજારોહણ, અન્નકૂટ અને નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ સાથે ઊંઝામાં 18 મી 22 ડિસેમ્બર દરમિયાન
 
બહુચરાજીઃ ઉમિયા માતાજીના મંદિર 22માં પાટોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા

અટલ સમાચાર, બહુચરાજી (ભૂરાજી ઠાકોર)

બહુચરાજીમાં ઉમિયા માતાજી પથિકાશ્રમમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરના 22માં પાટોત્સવ પ્રસંગે રવિવારે મૈયાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે ઉમિયા વાડી નીકળી મુખ્ય બજાર થઈ બેચર પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું કરાયું હતું. જ્યારે માઈમંદિરો નૂતન ધ્વજારોહણ, અન્નકૂટ અને નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ સાથે ઊંઝામાં 18 મી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહા યજ્ઞની આમંત્રણ પત્રિકા માનું તેડુંના સામૂહિક વધામણાં કરાયા હતા.

બહુચરાજીઃ ઉમિયા માતાજીના મંદિર 22માં પાટોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આ પ્રસંગે ઉમિયા પથિકાશ્રમના ચેરમેન વિઠ્ઠલભાઈ લાટીવાળા ,પૂર્વ સરપંચ હર્ષદ લાટીવાળા, ડૉ.માધુભાઇ પટેલ સહિત બેચર-બહુચરાજી નગર તેમજ તાલુકાના પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પાટોત્સવને સફળ બનાવવા બેચર બહુચરાજી સમસ્ત પાટીદાર પરિવાર અને પ્રગતિ મંડળ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.