બનાસકાંઠા: કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2નાં કરૂણ મોત, 3 ઘાયલ
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગત મોડીરાત્રે થરાદ-સાંચોર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે તેમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જયારે અન્ય ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે થરાદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં
Aug 17, 2019, 11:39 IST
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગત મોડીરાત્રે થરાદ-સાંચોર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે તેમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જયારે અન્ય ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે થરાદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠાના થરાદ-સાંચોઇ હાઇવે પર સુરેન્દ્રનગરના પરિવારને અકસ્માત નડ્યો હતો. ગત મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યકિતઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. અન્ય ત્રણ ઇસમોને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક થરાદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા થરાદ પોલીસે સ્થળ પર અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.