બનાસકાંઠાઃ સિંચાઇ માટે પાણી મેળવવા તા.30 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

અટલ સમાચાર, પાલનપુર ડીસા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરએ દાંતીવાડા જળાશય યોજનાના સર્વે બાગાયતદારોને અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સને-2019-20ની રવિ સીઝન માટે જળાશયમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે ત્રણ પાણ સાથે 15,000 હેકટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરેલ હોઇ પાણી લેવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોને પાણી મેળવવા બાબતની અરજી નિયત નમૂના ફોર્મ-7માં જરૂરી વિગત દર્શાવી તેમના
 
બનાસકાંઠાઃ સિંચાઇ માટે પાણી મેળવવા તા.30 નવેમ્બર સુધી અરજી કરી શકાશે

અટલ સમાચાર, પાલનપુર

ડીસા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરએ દાંતીવાડા જળાશય યોજનાના સર્વે બાગાયતદારોને અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સને-2019-20ની રવિ સીઝન માટે જળાશયમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે ત્રણ પાણ સાથે 15,000 હેકટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરેલ હોઇ પાણી લેવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોને પાણી મેળવવા બાબતની અરજી નિયત નમૂના ફોર્મ-7માં જરૂરી વિગત દર્શાવી તેમના વિસ્તારના સેક્શનલ ઓફીસર/કારકુનોને રૂબરૂમાં તા.30-11-2019 સુધીમાં પહોંચાડવા જણાવાયું છે.

અરજી સાથે ખાતાની બાકી અને પંચાયતની બાકી રકમ તથા ચાલુ સીઝનનો આગોતર સિંચાઇ પિયાવો પુરેપુરો ભરવાનો રહેશે. આ સિવાય અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. ચાલુ સાલે પ્રતિ પાણ દીઠ રૂ.293.00 તથા 20 ટકા લોકલ ફંડ રૂ.59.00 કુલ મળી રૂ.352.00 પ્રતિ હેક્ટર દીઠ ભરવાના રહેશે. ઉપર જણાવ્યા પ્રમાણે અરજી આપી પાસ મેળવી લેવા, પાણીના પાસ સિવાય પાણી આપવામાં આવશે નહી. ઢાળીયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની પોતાની રહેશે.