બનાસકાંઠાઃ દેવદિવાળીએ નડાબેટ ખાતે કોંગ્રેસનું સ્નેહમિલન યોજાશે
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) કોંગ્રેસના દિગજનેતાઓ આવતી કાલે સરહદી સુઇગામ તાલુકાના નડાબેટ ખાતે સ્નેહમિલનમાં હાજરી આપશે. ગુજરાત રાજ્યની મહત્વ ગણાતી વાવ વિધાનસભા જેમાં ભાજપના દિગજ નેતા શંકર ચૌધરી જેવાને કોંગ્રેસ પણ ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અને આખા ગુજરાતમાં ગેનીબેન ઠાકોરને વિજય થવા બદલ સૌ લોકોએ અભિનંદન આપ્યા હતા. આવતી
Nov 11, 2019, 15:00 IST
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
કોંગ્રેસના દિગજનેતાઓ આવતી કાલે સરહદી સુઇગામ તાલુકાના નડાબેટ ખાતે સ્નેહમિલનમાં હાજરી આપશે. ગુજરાત રાજ્યની મહત્વ ગણાતી વાવ વિધાનસભા જેમાં ભાજપના દિગજ નેતા શંકર ચૌધરી જેવાને કોંગ્રેસ પણ ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અને આખા ગુજરાતમાં ગેનીબેન ઠાકોરને વિજય થવા બદલ સૌ લોકોએ અભિનંદન આપ્યા હતા.
આવતી કાલે કે દિવ દિવાળીના દિવસે નડેશ્રવરી ધામ નડાબેટ ખાતે સ્નેહમિલન યોજાવાનો છે. ત્યારે કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ પધારવાના છે. ત્યારે સૌ લોકોને સ્નેહમિલનમાં નેતાઓ રાજીવ સાતવ, જગદીશ ઠાકોર, અમિતભાઇ ચાવડા પ્રદેશ પ્રમુખ અર્જુનસિંહ મોઢવાડીયા રઘુભાઇ દેસાઈ ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ આવતી કાલે સ્નેહમિલન હાજરી આપશે.