બનાસકાંઠા: વિચરતા સમુદાય સમર્થન મંચ દ્રારા ગરમ ધાબળાનું વિતરણ કરાયું
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
સરહદી સુંઇગામ તાલુકામાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્રારા (VSSM) વિચરતી જાતિના લોકોને દરેક પ્રકારે ઉપયોગી થઇ બનાસકાંઠા તેમજ સમગ્ર ગુજરાતમા વિચરતા સમુદાય સમર્થન મંચે પ્રગતિ મેળવી આગવું સ્થાન મેળવેલ છે. આ VSSM ના અધ્યક્ષ એવા મિત્તલબેન પટેલ તેમજ બનાસકાંઠાના અધ્યક્ષ નારણભાઈની કામગીરી ખૂબ ગર્વ લેવાય તેવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વિચરતી જાતિના લોકોને ખૂબ જ સહારો મળેલ છે. જેમકે લોકોના અધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, તેમજ તેમને મફત પ્લોટ મળી રહે તેવી ખૂબ જ સરાહનીય કામગીરી આ સંસ્થા દ્રારા કરવામાં આવેલ છે.
સરહદી સુંઇગામના વિચરતા સમુદાય સમર્થન મંચના સક્રીય કાર્યકર્તા એવા ભગવાન ભાઈ રાવળ દ્રારા સુંઇગામના સોનેથ તેમજ દુદોસણ ગામના વિચરતી જાતિમાં સમાવેશ થતા દેવીપૂજક તેમજ વાદી પરિવારના ઘરની રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થાનિક અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં ગરીબ પરિવારને શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આમ ધાબળાનું વિતરણ કરવાથી દેવીપૂજક પરિવારે વિચરતા સમુદાય સમર્થન મંચનો ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો.