બનાવ@બારડોલી: લક્ઝરી પલટી મારતાં 30 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, ચાલક ફરાર

અટલ સમાચાર,ડેસ્ક બારડોલીના પલસાણા હાઈવે પર લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં બસમાં સવાર 30 થી વધુ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના ઘટી હતી. અકસ્માતને પગલે બસમાં સવાર 30 થી વધુ મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. જેઓને તાત્કાલિક સારવાર અપાઈ હતી. બસ અકસ્માત બાદ બસનો ચાલક ત્યાંથી
 
બનાવ@બારડોલી: લક્ઝરી પલટી મારતાં 30 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, ચાલક ફરાર

અટલ સમાચાર,ડેસ્ક

બારડોલીના પલસાણા હાઈવે પર લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં બસમાં સવાર 30 થી વધુ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના ઘટી હતી. અકસ્માતને પગલે બસમાં સવાર 30 થી વધુ મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. જેઓને તાત્કાલિક સારવાર અપાઈ હતી. બસ અકસ્માત બાદ બસનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બારડોલી પાસેથી પસાર થતા પલસાણા હાઇવે પર આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. લક્ઝરી બસ ભૂસાવલથી અમદાવાદ જઈ રહી હતી, ત્યારે પલસાણા હાઇવે પર બ્રિજ નજીક ખાનગી લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર 30 થી વધુ મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. જેઓને તાત્કાલિક સારવાર અપાઈ હતી. બારડોલી પોલીસ તેમજ બારડોલી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને તમામ માહિતી મેળવી હતી.