બેચરાજી: દાતાઓનું સન્માન અને બાળકીઓ નું પૂજન કરાયું
અટલ સમાચાર, બહુચરાજી (ભુરાજી ઠાકોર)
બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે બહુચરાજી માતાજીના મંદિરે શુક્રવારે દાતા ભરતભાઇ જેઠાભાઇ પટેલ અને નિવૃત શિક્ષક રમેશભાઇ પટેલ પરિવાર દ્રારા બાળકીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ શંખલપુર સહિત આજુબાજુની 12 પ્રાથમિક શાળાના બાળકોનો પર્યટન સહ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ભરતભાઇ અને રમેશભાઇ બંને દાતાઓ દ્રારા શંખલપુર ડોડીવાડા, હરિપુર, બહુચરાજીની બહુચર વિદ્યામંદિર, કુમાર શાળા, કન્યા શાળા, ઇન્દિરાનગર, પ્રતાપગઢ, દેથલી, ડેડાણા, ફિંચડી અને સાપાવાડા ગામની પ્રાથમિક શાળાના બાળકો હાજર રહ્યા હતા. 2500 બાળકોને મોતીચુર લાડુ, ફુલવડી,શાક, પુરી, પાપડ અને દાળ-ભાત સાથે મિષ્ટભોજન આપી બાળકોનું પૂજન કરાયું હતું. દાતાઓના આ સદ્દકાર્યને મંદિરના ચેરમેન કામીદાસ પટેલ, કુલમંડળના સભ્યો, ગ્રામજનો તેમજ શાળાના આચાર્યોએ બિરદાવ્યું હતું.