બેચરાજી: ઠાકોર સમાજ યુવા સંગઠન મંડળ દ્વારા 52 ગજની ધજા ચડાવાઇ
અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)
પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં આજે બેચર-બહુચરાજી ઠાકોર સમાજ યુવા સંગઠન મંડળ દ્વારા છઠ્ઠી બાવન ગજની ધજા બહુચરાજી માતાજીના મંદિરે ચડાવાઇ હતી. બુધવારના રોજ સવારે બહુચર માતાજીને લાડુનો ગોખ ભરવામાં આવ્યો હતો. આ સાથે સવારે 8 કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બાદમાં ભવ્ય શોભાયાત્રા મેળાના મેદાનમાંથી બાવન ગજની ધજાની ભવ્ય શોભાયાત્રા ડી.જે.ના તાલ સાથે બેચર અને બહુચરાજી ગામમાં નીકળી હતી.
મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી મંદીરે આજે બેચર-બહુચરાજી ઠાકોર સમાજ યુવા સંગઠન મંડળ દ્વારા છઠ્ઠી બાવન ગજની ધજા બહુચરાજી માતાજીના મંદિરે ચડાવાઇ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો-વડીલો જોડાયા હતા.
ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડતાં બહુચરાજીમાં અને મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ છવાયો હતો. આ સાથે ચૌધરી સમાજની વાડીમાં બેચર-બહુચરાજી ગામ સમસ્ત ઠાકોર સમાજ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના ભાઈઓ તેમજ બહેનોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.