બેફામ@લાખણી: એક જ રાતમાં બે મંદીરોમાંથી ચોરી કરી તસ્કરો ફરાર
અટલ સમાચાર, લાખણી
બનાસકાંઠા જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ એક જ રાતમાં બે જગ્યાએ ચોરી કરી પલાયન થઇ ગયા છે. લાખણીના ગેળા અને લાલપુર ગામના મંદીરોને ટાર્ગેટ કરી ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં ચોરતત્વો સામે ધર્મપ્રેમી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ ગેળામાં શ્રીફળ મંદીર અને જવેલર્સની સાથે લાલપુરમાં ગોગા મહારાજના મંદીરમાં ચોરી કરી પલાયન થઇ જતા સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના બે ગામોમાં તસ્કરો કળા કરી ગયા હોવાનું સામે આવ્યુ છે. લાખણી તાલુકાના ગેળા શ્રીફળ મંદીરમાં અને જવેલર્સની દુકાનમાં ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા.
આ દરમ્યાન લાલપુરના ગોગા મહારાજ મંદીરના તાળા તોડીને પણ ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, બનાસકાંઠા જીલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે.
આવા તસ્કરોને પોલીસ કે કાનુનો પણ કોઇ ડર રહ્યો નથી. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.