ભાભર: આનંદનગર(અ) પ્રા. શાળામાં અનોખી જન્મ દિવસની ઉજવણી

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) ભાભર ની આનંદનગર(અ)પ્રા. શાળામાં જન્મદિવસ નિમિતે બાળકોને 27000 હજારના બાળકોના થેલા પેટે 87 થેલાઓ ઠાકોર ગંગાબેન નગાજી તરફથી આપવામાં આવ્યા અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહાદેવપુરા અને આનંદનગર શાળાના બાળકોને દાતાઓ તરફથી ગણવેશ પણ ભેટમાં આપવામાં આવ્યો..આ ઉપરાંત રસોડામાં ખૂટતા વાસણ ઠાકોર ભૂરાજી રવજીજી તરફથી આપવામાં આવ્યા હતા તેમને સન્માનિત
 
ભાભર: આનંદનગર(અ) પ્રા. શાળામાં અનોખી જન્મ દિવસની ઉજવણી

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

ભાભર ની આનંદનગર(અ)પ્રા. શાળામાં જન્મદિવસ નિમિતે બાળકોને 27000 હજારના બાળકોના થેલા પેટે 87 થેલાઓ ઠાકોર ગંગાબેન નગાજી તરફથી આપવામાં આવ્યા અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહાદેવપુરા અને આનંદનગર શાળાના બાળકોને દાતાઓ તરફથી ગણવેશ પણ ભેટમાં આપવામાં આવ્યો..આ ઉપરાંત રસોડામાં ખૂટતા વાસણ ઠાકોર ભૂરાજી રવજીજી તરફથી આપવામાં આવ્યા હતા તેમને સન્માનિત કરવામાં આવ્યા અને પ્રતાપજી એસ.ઠાકોર અને સંદીપકુમાર પ્રજાપતિ તરફથી બાળકો અને મોટેરાઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો

‌આ કાર્યક્રમ મામલતદારના અદયક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સદારામ સમિતિના સભ્યો, ડો.રાજેશભાઇ ઠક્કર,એટા પ્રા. શાળા સ્ટાફ, બી.આર.સી.કો., સી.આર.સી.કો.,નાયબ મામ. રમેશભાઈ પ્રજાપતિ, ક્લાર્ક, પગાર પે.કે.શાળા ના તમામ આચાર્યઓ,વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શિક્ષણ કુંભ એક શાળા વિકાસ માટે નવી પહેલ કરવામાં આવી જેને મામલતદાર અને વાલીગણ ,બી.આર.સી. તમામ લોકોએ વખાણી હતી. આ તબકકે વૃક્ષારોપણ અને સ્માર્ટ કલાસનું ઉદઘાટન પણ કર્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન આચાર્ય પ્રતાપજી એસ.ઠાકોરે કર્યું હતું.