ભરૂચઃ નર્મદા નદીએ ભયજનક સ્વરૂપ ધારણ કર્યું, પુરમાં 1 વ્યક્તિનું મોત

અટલ સમાચાર, ડેસ્ક ભરૂચ જિલ્લામાં નર્મદા નદી ભયજનક લેવલ પર વહી રહી છે. આજે સવારે ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજની સપાટી 34.77 ફૂટ પર છે. નર્મદા ડેમ માંથી સતત 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં તંત્ર હજી પણ સ્ટેન્ડ બાય ઉભું છે. લોકોના ઘરોમાં મા રેવાના પાણી ફરી વળ્યાં છે. ત્યારે આવામાં નર્મદા
 
ભરૂચઃ નર્મદા નદીએ ભયજનક સ્વરૂપ ધારણ કર્યું, પુરમાં 1 વ્યક્તિનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચ જિલ્લામાં નર્મદા નદી ભયજનક લેવલ પર વહી રહી છે. આજે સવારે ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજની સપાટી 34.77 ફૂટ પર છે. નર્મદા ડેમ માંથી સતત 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં તંત્ર હજી પણ સ્ટેન્ડ બાય ઉભું છે. લોકોના ઘરોમાં મા રેવાના પાણી ફરી વળ્યાં છે. ત્યારે આવામાં નર્મદા નદીમાં આવેલ પૂરના પાણીમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ફુરજા વિસ્તારમાં 55 વર્ષીય વ્યક્તિનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. બી ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલની ડેમની સપાટી 133 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાં પાણીની આવક 11,27,764 ક્યુસેક જેટલી છે. જેમાં 23 દરવાજામાંથી કુલ નર્મદા નદીમાં અત્યાર સુધી 11,27,374 ક્યુસેક પાણી છોડાયું છે. હાલ 23 દરવાજા 7.66 મીટર સુધી ખોલાયા છે. ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 8 ફૂટ ઉપર વહી રહી છે. નીચાણવાળા વિસ્તારો પાણીથી લબાલબ થઈ ગયા છે. આકાશી નજારામાં નર્મદા નદીએ સર્જેલી તારાજી સર્જી શકાય છે.

નર્મદા કંટ્રોલ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ નર્મદા ડેમમાં 31 ઓગસ્ટ સુધી 132 મીટર સુધી પાણી ભરવાની મંજૂરી છે. સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ડેમની સપાટી 132.88 મીટર નોંધાઇ હતી. ડેમમાં 1.25 લાખ ક્યુસેક જેટલા પાણીનો સંગ્રહ કરતા સપાટીમાં દર કલાકે 5 સે.મી. જેટલો વધારો થઇ રહ્યો છે. ડેમનું લેવલ 132 મીટરનું જાળવી રાખવાની મર્યાદા સોમવારે રાત્રે પૂર્ણ થતાં મંગળવારથી ડેમ પૂર્ણકક્ષા સુધી ભરવાની મંજૂરી મળી છે. જેને કારણે સપ્ટેમ્બરમાં ડેમ પૂર્ણ કક્ષા એટલે કે 138 મીટર સુધી ભરાશે.