ભિલોડા: સતિ સુરમલદાસની જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
અટલ સમાચાર, ભિલોડા
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના શામળાજીથી 12 કિમી દૂર છેવાડામાં આદિવાસી સમાજનું આસ્થાનું મોટુ ધામ લુસડીયા ગામે સતિ સુરમલદાસનું છે. જયાં દર વર્ષેની જેમ ગત વર્ષ ખુબ ધામધૂમથી સતિ સુરમલદાસની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેશી ભાષામાં ભજનો ગાતા નાચતા કુદતા હાથમાં ધૉળી ધજાઓ લઇ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત માંથી હજારો ભક્તોની ભારે ભીડ આવે છે. અહીંયા અંગ્રેજો વખતે સુરમલદાસની ભારે પરીક્ષા લેવામાં આવી હતી. અને સુરમલદાસ અંગ્રેજોની કસોટી પાસ થયા હતા.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
આદિવાસી સમાજમાં ધામિઁકતાનો ઉદય થયો હતો. સુરમલદાસ દ્વારા માથા પર લાલ રંગનુ ફાળિયુ બાંધેલું હોય એને વેઠના કરાવતા જે મારો આસ્થાનો ભક્ત હશે એવી વાત મુકી અંગ્રેજો રાજાશાહીમાં ધામિઁકતાનું શિક્ષણની શરૂઆત કરી હતી. તેને લઇ ને આજે સુરમલદાસની જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આસો માસમાં દિવાળી નુતનવષઁ અને ભાઇબીજની ઉજવણી કરી નવા ઉત્સવનો ઉમંગ મેળવે છે. જયારે આસો સુદ પુનમ દરેક મંદિરોમાં દેવો માટે દેવ દિવાળી તરીકે ઉજવણી કરે છે.