બાયડ: રડોદરા તથા રણેચીના ખેડૂતો પાસે 1.25 કરોડની છેતરપિંડીથી ચકચાર

અટલ સમાચાર,બાયડ બાયડ તાલુકાના રડોદરા તથા રણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી અમદાવાદના ચાર શખ્સોએ તમાકુ તથા પશુઆહારમાં ઊંચું વળતર આપવાનું જણાવી સંખ્યાબંધ ખેડૂતો પાસેથી રૂ. 1.25 કરોડની છેતરપિંડી આચરતાં હલચલ મચી ગઇ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રડોદરા તથા રણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી અમદાવાદ તથા આણંદમાં રેહેતા મનીષ
 
બાયડ: રડોદરા તથા રણેચીના ખેડૂતો પાસે 1.25 કરોડની છેતરપિંડીથી ચકચાર

અટલ સમાચાર,બાયડ

બાયડ તાલુકાના રડોદરા તથા રણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી અમદાવાદના ચાર શખ્સોએ તમાકુ તથા પશુઆહારમાં ઊંચું વળતર આપવાનું જણાવી સંખ્યાબંધ ખેડૂતો પાસેથી રૂ. 1.25 કરોડની છેતરપિંડી આચરતાં હલચલ મચી ગઇ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  રડોદરા તથા રણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી અમદાવાદ તથા આણંદમાં રેહેતા મનીષ જગદીશભાઇ પટેલ, દર્શનાબેન મનીષભાઇ પટેલ રહે.તીર્થ બંગલોઝ વિદ્યાનગર,કિરણ જગદીશભાઇ પટેલ રહે. પ્રેસ્ટ્રીઝ બંગલોઝ,અમદાવાદ,વિઠ્ઠલ મોતીભાઇ પટેલ રહે.ઇશનપુર,અમદાવાદ ઉપરોક્ત શખ્સોખે સંખ્યાબંધ ખેડૂતોને તમાકુ તથા પશુઆહારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી 2015 ના એપ્રિલથી તારીખ 19-5-2016 ના સમય દરમિયાન 1.25 કરેાડ થી વધુ ની રોકડ પડાવી પલાયન થઇ ગયા હતા.

આમામલામાં સર્વપ્રથમ ખેડૂતો પાસેથી કુલ 1.75 કરોડ ઉઘરાવ્યા હતા. જેમાં 49.33 લાખ પરત પણ આપ્યા હતા.પરંતું બાકી નિકળતાં 1.25 કરોડ રૂપિયા પરત ન આપી ખેડૂતો પાસે છેતરપિંડી આચરી ઠગાઇ કરતાં બયાડ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સમગ્ર પ્રકરણમાં ખેડૂતો એકઠા થઇ થોડા દિવસ પહેલા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને સમગ્ર બાબતે રજુઆત કરી કડક કાર્યવાહી કરવા માટે જણાવતાં તુરંત જ ગૃહ વિભાગ ધ્વારા આ પ્રકરણમાં કડક કાર્યવાહી કરી ખેડૂતોના હિતમાં પગલા ભરવા માટે જણાવ્યું હોવાનું ખેડુતોએ જણાવ્યું હતું.