બ્રેકિંગ@અમદાવાદ: કોન્સ્ટેબલે એકાઉન્ટ રૂમમાં જ પિસ્તોલથી ગોળી મારી જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે પાલડી પોલીસ સ્ટેશનના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પીસ્ટલથી માથાના ભાગે ગોળી મારી આપઘાત કર્યો હતો. જોકે અપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોળીનો અવાજ આવતા પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓ દોડતા રૂમ તરફ પહોંચ્યા હતા પરંતુ રૂમ
 
બ્રેકિંગ@અમદાવાદ: કોન્સ્ટેબલે એકાઉન્ટ રૂમમાં જ પિસ્તોલથી ગોળી મારી જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે પાલડી પોલીસ સ્ટેશનના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પીસ્ટલથી માથાના ભાગે ગોળી મારી આપઘાત કર્યો હતો. જોકે અપઘાતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોળીનો અવાજ આવતા પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓ દોડતા રૂમ તરફ પહોંચ્યા હતા પરંતુ રૂમ અંદરથી બંધ હોવાથી દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઉમેશ રમણલાલ ભાટિયા ગુરુવારે સવારે રાબેતા મુજબ 9 વાગે પોલીસ સ્ટેશન આવ્યા હતા. નોકરી આવ્યા બાદ ઉમેશભાઈએ પોલીસ સ્ટેશનની અમુક કામગીરી પણ કરી હતી. એકાદ કલાક બાદ તેમણે અંદરથી દરવાજો બંધ કરી સરકારી પીસ્ટલથી પોતાના માથાના ભાગે ગોળી મારી દીધી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉમેશભાઈના પિતા રમણભાઈ પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા તેઓ આઈએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા થોડા સમય પહેલા જ તેઓ નિવૃત્ત થયા હતા. ઉમેશભાઈએ કેમ આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી જોકે હાલ તો તેમના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. તેના મોબાઈલ અને સુસાઈટ નોટ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે અધિકારીઓનો ત્રાસ કે કામનું ભારણ હતું કે કેમ તેની પણ પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.