બ્રેકિંગ-બનાસકાંઠા: દિયોદરમાં ટ્રેન નીચે પડતું મૂકી યુવાનનો આપઘાત
અટલ સમાચાર,પાલનપુર બનાસકાંઠામાં હમણાથી ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાના બનાવો વધી રહયા છે. ત્યારે મંગળવારે દિયોદરની ભાભર રેલ્વે લાઇન પર એક આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી એમ માટે
Apr 2, 2019, 15:03 IST
અટલ સમાચાર,પાલનપુર
બનાસકાંઠામાં હમણાથી ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાના બનાવો વધી રહયા છે. ત્યારે મંગળવારે દિયોદરની ભાભર રેલ્વે લાઇન પર એક આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી એમ માટે દિયોદર રેફરલ હોસ્પિટલ મોકલી આપી છે.