બ્રેકિંગ@દેશ: કોરોના કહેર વચ્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રદ્દ કરાઇ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજની છેલ્લી ટેસ્ટ મેચને રદ્દ કરી દેવામાં આવી છે. કોરોનાની લટકતી તલવાર વચ્ચે બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે BCCIનાં અધિકારીઓ દ્વારા મોટી બેઠક કરવામાં આવી હતી જે બાદ નિર્ણય જાહેર કરવામાં આવ્યો કે આજે મેચ રમવામાં આવશે નહીં અને તે રદ્દ કરવામાં આવે છે. ક્રિકેટર દિનેશ કાર્તિકે ટ્વિટ કેને કહ્યું કે આજે કોઈ જ મેચ નહીં થાય. તેમણે કહ્યું કે નો પ્લે ટુડે, ઓકે, ટાટા, બાય.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
The ECB and BCCI have mutually decided to call off the fifth #ENGvIND Test, which was due to begin today.
Details https://t.co/MIAkhQodzK
— ICC (@ICC) September 10, 2021
ભારતીય ટીમનાં કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનાં ત્રણ સદસ્ય ચોથી ટેસ્ટ મેચ દરમ્યાન જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. આ સાથે ફિઝિયો વિભાગમાંથી પણ એક કોરોના કેસ સામે આવ્યો હતો એવામાં કોરોના વાયરસનાં ખતરાને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ECBએ કહ્યું કે, “ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે ચાલી રહેલી વાતચીત બાદ, માન્ચેસ્ટરમાં ટેસ્ટ મેચ રદ્દ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના ખતરાને કારણે ભારતીય ખેલાડીઓ ડરી ગયા હતા અને ભારત પાસે મેચ રમવા માટે પ્લેઇંગ 11 નહોતું, તેથી મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે મેચ રદ્દ કરવા બદલ ચાહકોની માફી માંગી અને બોર્ડે કહ્યું, “અમે અમારા ક્રિકેટ ચાહકો, સમાચાર ભાગીદારોની માફી માંગીએ છીએ. અમે તમને અસુવિધા પહોંચાડી છે.