બ્રેકિંગ@ધાનેરા: મકાનની દિવાલ પડતાં મહિલા સાથે બાળકનું મોત, હાહાકાર મચ્યો
અટલ સમાચાર, ધાનેરા
કોરોના મહામારી વચ્ચે ધાનેરા તાલુકાના ગામે મકાની છત ધરાશાઇ થતાં બે લોકોના મોત થયાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે બપોરના સમયે મકાની દિવાલ ધરાશાઇ થતાં ત્રણ લોકો દટાયા હતા. જેમાં એક મહિલા અને એક બાળકનું મોત થયુ છે. આ તરફ અન્ય એક પુરૂષ ઇજાગ્રસ્ત બનતાં તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામે મકાનની છત ધરાશાઇ થતાં દુર્ઘટના બની હતી. સામરવાડાના જેતપુરી ગૌસ્વામીના મકાનની છત આજે બપોરના સમયે અચાનક ધરાશાઇ થતાં ત્રણ લોકો દટાઇ ગયા હતા. જેમાં 40 વર્ષીય મહિલા અને 3 વર્ષીય બાળકનું કરૂણ મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી થઇ છે. ઘટનાને સ્થાનિકો સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ધાનેરાના સામરવાડા ગામે મકાનની છત ધરાશાઇ થતાં બે લોકોના મોતથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ તરફ પરિવારની દીકરીને 10 વર્ષ બાદ જન્મેલા બાળકનું પણ આ દુર્ઘટનામાં મોત થતાં પરીજનો શોકમાં ગરકાવ થયા છે. સામરવાડાના જેતપુરી ગૌસ્વામીના ઘરે દુર્ઘટના બાદ સ્થાનિકો સહિત લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જે બાદ ઇજાગ્રસ્ત પુરૂષને સારવાર અર્થે ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોના નામ:
- નેનુબેન જેતપુરી બાવા ઉ. 45 સામરવાડા
- અર્જુનપુરી બાવા ઉ.1.5 વર્ષ પેપરાલ
ઇજાગ્રસ્તનું નામ:
- જેતપુરી ગૌસ્વામી, રહે. સામરવાડા