બ્રેકિંગ@ગાંધીનગર: CM નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક, ધોરણ-6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ થશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજ્યના પાટનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે શિક્ષણ વિભાગની મહત્વપુર્ણ બેઠક યોજાઇ હતી. આજે યોજાયેલી બેઠકમાં શિક્ષણમંત્રી સહિતના ઉચ્ચ અધિકારી-પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ તરફ હવે રાજ્યમાં રાજ્યમાં ધોરણ-6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અટલ
Aug 17, 2021, 13:58 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે રાજ્યના પાટનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે શિક્ષણ વિભાગની મહત્વપુર્ણ બેઠક યોજાઇ હતી. આજે યોજાયેલી બેઠકમાં શિક્ષણમંત્રી સહિતના ઉચ્ચ અધિકારી-પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ તરફ હવે રાજ્યમાં રાજ્યમાં ધોરણ-6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજ્યના પાટનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ હાજર હતા.