બ્રેકિંગ@ગુજરાત: કોરોના વચ્ચે જન્મ-મરણના દાખલાને લઇ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે જન્મ મરણના દાખલા માટે લાઈનો માં નઙી ઉભુ રહેવુ પડે. ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઇનલોડ કરી શકાય તે માટે આપના મોબાઇલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે.
 
બ્રેકિંગ@ગુજરાત: કોરોના વચ્ચે જન્મ-મરણના દાખલાને લઇ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે જન્મ મરણના દાખલા માટે લાઈનો માં નઙી ઉભુ રહેવુ પડે. ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઇનલોડ કરી શકાય તે માટે આપના મોબાઇલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે. આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના મહાનગરો અને નગરપાલિકામાં હાલ લોકોને પ્રમાણપત્ર મેળવવા લાઈનોમાં ઉભુ રહેવુ પડે છે. જેના દ્વારા પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે અને તે કારણે જ આ બારીઓ બંધ કરવામાં આવી છે. હવે જન્મ અને મરણનું પ્રમાણપત્ર રૂબરૂ નહી આપવામાં આવે. ટેમ્પરરી આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 1 એપ્રિલ 2021થી 31મી જુલાઈ 2021 દરમ્યાન બનેલા કે બનનારા જન્મ મરણના બનાવો કોરોના મહામારીને કારણે વિશિષ્ટિ સંજોગોમાં બની રહ્યા હોવાને કારણે 21 દિવસમાં નોંધાવી શકાયા ન હોય તો તેવા 22 દિવસથી વધુ પરંતુ 365 દિવસ સુધી વિલંબિત જન્મ કે મરણના બનાવોની નોંધણી માટે એફિડેવીટ કરવામાંથી પણ હાલ પુરતી મુક્તિ આપવામાં આવી છે અને આ અંગે લેટ ફી વસૂલવામાં નહી આવે.