બ્રેકિંગ@ગુજરાત: પ્રદેશ ભાજપમાં ભૂકંપ, સાંસદ મનસુખ વસાવાનું અચાનક રાજીનામું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામું આપ્યુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે આ રાજીનામું સ્વીકાર કર્યુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મનસુખ વસાવા ઈકો સેન્સીટીવ મુદ્દાને લઈને રાજીનામું આપ્યું છે. તેમણે આ
 
બ્રેકિંગ@ગુજરાત: પ્રદેશ ભાજપમાં ભૂકંપ, સાંસદ મનસુખ વસાવાનું અચાનક રાજીનામું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામું આપ્યુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે આ રાજીનામું સ્વીકાર કર્યુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મનસુખ વસાવા ઈકો સેન્સીટીવ મુદ્દાને લઈને રાજીનામું આપ્યું છે. તેમણે આ અંગે અનેકવાર રજૂઆતો કરી હતી પરંતુ તેમની વાતને ધ્યાનમાં લેવામાં ન આવતા મનસુખ વસાવા પક્ષથી નારાજ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@ગુજરાત: પ્રદેશ ભાજપમાં ભૂકંપ, સાંસદ મનસુખ વસાવાનું અચાનક રાજીનામું
જાહેરાત

મનસુખ વસાવાએ જણાવ્યુ કે, ભાજપે મને ઘણુ આપ્યુ છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું. મે પક્ષ માટે વફાદારી રાખી છે, પક્ષના મૂલ્યો જીવનના મૂલ્યો પણ અમલમાં મુક્યા છે. હું એક માનવી છું, મારી જાણે અજાણે કોઇ ભૂલ થઇ હોય છે, મારી ભૂલના કારણે પક્ષને નુકસાન પહોચે એ કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપુ છું. મનસુખ વસાવાએ વધુમાં કહ્યુ કે, બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજુનામુ આપીશ.

બ્રેકિંગ@ગુજરાત: પ્રદેશ ભાજપમાં ભૂકંપ, સાંસદ મનસુખ વસાવાનું અચાનક રાજીનામું
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાતના રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે. આજે સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને લેખિતમાં પત્ર લખી અને જણાવ્યું છે કે તેઓ પક્ષમાંથી રાજીનામું આપે છે. જાણવા મળ્યાનુસાર મનસુખ વસાવા ઈકો સેન્સીટીવ મુદ્દાને લઈને રાજીનામું આપ્યું છે. તેમણે આ અંગે અનેકવાર રજૂઆતો કરી હતી પરંતુ તેમની વાતને ધ્યાનમાં લેવામાં ન આવતા મનસુખ વસાવા પક્ષથી નારાજ થયા છે.