બ્રેકિંગ@ગુજરાત: કોરોના કહેર વધતાં લોકડાઉનને લઇ રૂપાણીએ શું કરી મહત્વની જાહેરાત ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં વધતાં જતાં કોરોના કેસોની વચ્ચે લોકડાઉનને લઇ રાજ્યના મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યુ છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. કોરોનાના કેસ વધતાં ફરી રાજ્યમાં લોકડાઉન નાંખવામાં આવે તેવી અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યમાં હાલ લોકડાઉનની કોઈ જરૂર નથી. જો
 
બ્રેકિંગ@ગુજરાત: કોરોના કહેર વધતાં લોકડાઉનને લઇ રૂપાણીએ શું કરી મહત્વની જાહેરાત ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં વધતાં જતાં કોરોના કેસોની વચ્ચે લોકડાઉનને લઇ રાજ્યના મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યુ છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. કોરોનાના કેસ વધતાં ફરી રાજ્યમાં લોકડાઉન નાંખવામાં આવે તેવી અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યમાં હાલ લોકડાઉનની કોઈ જરૂર નથી. જો જરૂરી લાગશે તો લગાવવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત મેડિકલ એસોસિયેએશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, 14 દિવસનું લોકડાઉન જરૂરી છે અને ગુજરાત સરકાર આ બાબતે વિચારે. મેડિકલ એસોસિયેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, રાજ્યમાં ટેસ્ટ વધારવાની જરૂરિયાત છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડ અને દવાઓની પણ જરૂરિયાત છે તેથી તેને માટે સમય મળી જશે.

આ પહેલાં રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડ વધારવા એ હાલના સમયની જરૂરિયાત છે અને અમે હોસ્પિટલોમાં ઓક્સિજન તથા બેડ વધારી રહ્યા છીએ. રાજ્ય સરકારે કહ્યું કે, લોકડાઉન લાદવા વિશે ઘણાં સૂચનો આવ્યાં છે પણ લોકડાઉનથી ફાયદો થશે કે નહીં એ નક્કી નથી. રાજ્યમાં નાઈટ કરફ્યુ લગાવવાથી કોઈ ખાસ ફાયદો નહિ થયો હોવાનું સરકારે કહ્યું હતું.