બ્રેકિંગ@કાંકરેજ: ધીંગાણાંમાં ઇજાગ્રસ્ત ઇસમનું સારવાર વચ્ચે મોત થતાં દોડધામ

અટલ સમાચાર, કાંકરેજ (કિશોર નાયક) કાંકરેજ તાલુકાના ગામે ગઇકાલે જૂથ અથડામણની ઘટના સામે આવ્યા બાદ આજે એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગત દિવસે રીક્ષામાં સાઇડ આપવા બાબતેની માથાકૂટમાં સમાધાન વચ્ચે ધીંગાણું થયુ હતુ. ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત બન્યા બાદ આજે એક વ્યક્તિનું પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતાં ચકચાર મચી ગઇ છે.
 
બ્રેકિંગ@કાંકરેજ: ધીંગાણાંમાં ઇજાગ્રસ્ત ઇસમનું સારવાર વચ્ચે મોત થતાં દોડધામ

અટલ સમાચાર, કાંકરેજ (કિશોર નાયક) 

કાંકરેજ તાલુકાના ગામે ગઇકાલે જૂથ અથડામણની ઘટના સામે આવ્યા બાદ આજે એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગત દિવસે રીક્ષામાં સાઇડ આપવા બાબતેની માથાકૂટમાં સમાધાન વચ્ચે ધીંગાણું થયુ હતુ. ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત બન્યા બાદ આજે એક વ્યક્તિનું પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ તરફ પોલીસ સહિત એફએસએલ સહિતની ટીમ પણ ગામમાં પહોંચી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ગામે ગઇકાલે જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં દરબાર અને ઠાકોર સમાજના લોકો નજીવી બોલાચાલીના સમાધાન વખતે ધીંગાણું સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ ધીંગાણાંમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા બાદ ઠાકોર ચેલાજી રાજૂજીનું આજે પાટણની ખાનગી હોસ્પિટલમાં મોત થયુ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

બ્રેકિંગ@કાંકરેજ: ધીંગાણાંમાં ઇજાગ્રસ્ત ઇસમનું સારવાર વચ્ચે મોત થતાં દોડધામ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે સમાધાન વચ્ચે થયેલી જૂથ અથડામણ બાદ બંને પક્ષોએ સામસામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જૂથ અથડામણમાં ઇજાગ્રસ્તોને પ્રથમ શિહોરી રેફરલ અને ત્યાર બાદ વધુ ગંભીર ઇજાઓ હોવાથી પાટણ ખસેડવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે ચેલાજી રાજુજી ઠાકોરનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમ્યાન મોત થયુ હતુ. હાલની સ્થિતિએ હજી મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવશે તેવુ સામે આવ્યુ છે.