બ્રેકિંગ@કાંકરેજ: લોકડાઉનની સ્થિતિમાં કેનાલમાંથી યુવક-યુવતિની લાશ મળી
અટલ સમાચાર, કાંકરેજ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે કાંકરેજ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત લોકો મોટી સંખ્યામાં કેનાલે ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે થરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
Mar 31, 2020, 10:24 IST
અટલ સમાચાર, કાંકરેજ
સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે કાંકરેજ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત લોકો મોટી સંખ્યામાં કેનાલે ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે થરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ચાંગા મુખ્યકેનાલમાં યુવક-યુવતિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ-પ્રકરણ હોવાનું માનવામા આવી રહ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં થરા પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે થરા રેફરલ હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે.