બ્રેકિંગ@રાધનપુર: છોટાહાથીની ટક્કરે બાઇકચાલકનું મોત, પત્નિ-બાળકો ઘાયલ

અટલ સમાચાર, રાધનપુર કોરોના મહામારી વચ્ચે આજે બપોરના સમયે રાધનપુર પંથકમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બાઇક અને છોટાહાથી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. આ તરફ બાઇકમાં સવાર મૃતકના પત્નિ અને બે બાળકો સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઇ
 
બ્રેકિંગ@રાધનપુર: છોટાહાથીની ટક્કરે બાઇકચાલકનું મોત, પત્નિ-બાળકો ઘાયલ

અટલ સમાચાર, રાધનપુર

કોરોના મહામારી વચ્ચે આજે બપોરના સમયે રાધનપુર પંથકમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બાઇક અને છોટાહાથી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. આ તરફ બાઇકમાં સવાર મૃતકના પત્નિ અને બે બાળકો સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઇ રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા પાસેના રીલાયન્સ પેટ્રોલપંપ નજીક આજે માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાધનપુર તાલુકના પેથાસપુરાના બળદેવભાઇ ઠાકોર પોતાના બાઇક પર પસાર થતાં હતા. આ દરમ્યાન છોટાહાથી અને તેમના બાઇક વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી. જેમાં બાઇકચાલક બળદેવભાઇનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. ઘટનામાં તેમના પત્નિ અને બે બાળકો ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બ્રેકિંગ@રાધનપુર: છોટાહાથીની ટક્કરે બાઇકચાલકનું મોત, પત્નિ-બાળકો ઘાયલ
મૃતકનો ફોટો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી વચ્ચે અનલોકમાં છુટછાટ મળતાં વાહનવ્યવહાર શરૂ થતાં જ માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ તરફ આજે રાધનપુર પંથકમાં બાઇક અને છોટાહાથી વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત થતાં પોલીસ દ્રારા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઇ હતી.